મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

ભાજપ સાંસદ નંદકુમાર સિંહ ચૌહાનનું નિધન : પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

જાન્યુઆરીમાં કોરોના થયો હતો : ભોપાલ હોસ્પિટલમાંથી એક મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા

મધ્ય પ્રદેશના ખંડવા લોકસભા સીટના ભાજપના સાસંદ નંદકુમાર સિંહ ચૌહાનનું આજે ગુરુગ્રામ મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે.પહેલા નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એક મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા

11 જાન્યુઆરીએ કોરોના પોઝિટિવ આપ્યા બાદ 68 વર્ષીય નંદકુમાર સિંહને ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધારે ખરાબ હોવાથી તેમને એક મહિના પહેલા મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ભાજપના સાંસદના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે ખંડવાથી લોકસભા સાંસદ નંદકુમાર સિંહ ચૌહાનના નિધનથી દુઃખી છું. તેમણે મધ્ય પ્રદેશમા ભાજપને મજબૂત કરવામાં સંગઠનાત્મક કૌશલ અને પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવારના પ્રત્યે સંવેદના.'

(1:26 pm IST)