News of Tuesday, 2nd March 2021
એકસાથે ૧૫૬ બૌદ્ધ સાધુઓને કોરોના વળગતા મોટો ખળભળાટ
હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતેના ગ્યોટો મઠના 156 બૌદ્ધ સાધુઓને એકસાથે કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. તંત્ર એ શોધવામાં લાગ્યું છે કે આટલી મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓને કોરોના ક્યાંથી લાગુ પડ્યો છે. કાંગડાના ચીફ મેડિકલ ઓફિસર જણાવે છે કે સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલમાં ફરી કોરોના કેસ વધવા લાગતા તંત્ર કડક પગલાં થઈ રહ્યાનું જાણવા મળે છે. દરમિયાન અહીંની ૭૦ થી વધુ ખાનગી હોસ્પિટલોમાં આજથી કોરોના વેકસીન આપવાનું શરૂ થયું છે
(12:11 am IST)