News of Tuesday, 1st December 2020
અભયભાઈનો પાર્થિવ દેહ આવતીકાલે બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચશે
બે કલાક તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રાખવામાં આવશે: ૩ વાગ્યા આસપાસ નિકળનાર અંતિમયાત્રા કુટુંબના અને નજીકના માત્ર 50 સભ્યો જોડાશે
અભયભાઈનો પાર્થિવ દેહ આવતીકાલે બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચશે ત્યારબાદ બે કલાક તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રાખવામાં આવશે અને ૩ વાગ્યા આસપાસ નિકળનાર અંતિમયાત્રામાં કુટુંબના અને નજીકના માત્ર 50 સભ્યો નિયમ મુજબ જોડાશે તેમ ભારદ્વાજ પરિવારના અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે. ચેન્નાઈથી વિમાનમાર્ગે સવારે પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી મોટરમાર્ગે રાજકોટ આવી પહોંચશે
(8:32 pm IST)