News of Tuesday, 1st December 2020
કોરોના મહામારીનો ધ્યાને લઇ જોધપુર કોર્ટે સલમાન ખાનને હાજર રહેવામાંથી મુક્તિ આપી
સુનાવણી માટે મુસાફરી કરવી તે ખાન માટે જોખમી બની શકે છે
મુંબઈ : કાળીયાર હરણના શિકાર મામલામાં ૫ વર્ષની થયેલ જેલ સજા વિરુદ્ધ કરવામાં આવેલ આપીલની સુનાવણી દરમિયાન અભિનેતા સલમાનખાનને હાજર રહેવામાંથી જોધપુર કોર્ટે મુક્તિ આપી છે. સલમાનના વકીલે મુંબઈ, જોધપુરમાં 'વધતા જતા' કોવિડ -19 કેસો ટાંક્યા હતા અને કહ્યું હતું કે સુનાવણી માટે મુસાફરી કરવી તે ખાન માટે જોખમી બની શકે છે.
(7:11 pm IST)