કેરળમાં કોરોનાનો કહેર વધતા ત્રીજી લહેરના ભણકાર: કેરળમાં સતત પાંચમા દિવસે નવા કેસ 20 હજારથી વધુ : દેશમાં નવા 41.786 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 39.304 દર્દીઓ રિકવર થયા : વધુ 542 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.24.384 થયો :એક્ટીવ કેસ 4.04.804 થયા : કુલ કેસની સંખ્યા 3.16.54.584 થઇ
સૌથી વધુ કેરળમાં 20.624 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6959 કેસ, આંધ્રપ્રદેશમાં 2058 કેસ, કર્ણાટકમાં 1987 કેસ,તામિલનાડુમાં 1986 કેસ, ઓરિસ્સામાં 1578 કેસ, આસામમાં 989 કેસ, મણિપુરમાં 801 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 41.786 કેસ નોંધાયા છે. જ્યારે 39.304 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 41.786 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 542 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.24.384 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 41.786 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.16.54.584 થઇ છે એક્ટિવ સંખ્યા 4.04.804 થઇ છે છેલ્લા 24 કલાકમાં 39.304 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.08.12.873 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 20.624 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6959 કેસ, આંધ્રપ્રદેશમાં 2058 કેસ, કર્ણાટકમાં 1987 કેસ,તામિલનાડુમાં 1986 કેસ, ઓરિસ્સામાં 1578 કેસ, આસામમાં 989 કેસ, મણિપુરમાં 801 કેસ નોંધાયા છે