મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

એક્ટ્રેસ કંગના રનૌતના ઘરની નજીક ગોળીબારથી ભારે ચકચાર

મારા ઘર પર ગોળીબાર કર્યો છે : એક્ટ્રેસ કંગના રનૌત : બોલિવૂડની અભિનેત્રી કંગનાના રનૌતના મનાલી સ્થિત ઘરની પાસે ફાયરિંગ થયું હોવાની પોલીસમાં ફરિયાદ

મનાલી, તા. : સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં કેટલાંક નિવેદનો કરીને ચર્ચામાં આવનાર એક્ટ્રેસ કંગના રનૌતે પોલીસમાં એવી ફરિયાદ કરી છે કે તેના ઘર પર કોઈએ ગોળીબાર કર્યો છે. ૩૧ જુલાઈના રોજ કંગનાની ટીમે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે મનાલી સ્થિત ઘરની પાસે ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ કુલુ પોલીસ કંગનાના ઘરે ગઈ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, કંગનાએ કહ્યું હતું કે તેને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસની એક ટીમ કંગનાના ઘરે તહેનાત કરવામાં આવી હતી. કંગનાએ કહ્યું હતું, હું મારા બેડરૂમમાં હતી અને રાત્રે લગભગ ૧૧.૩૦ વાગે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો.

         મને પહેલાં એવું લાગ્યું કે કોઈએ ફટાકડા ફોડ્યા છે પરંતુ જ્યારે બીજીવાર અવાજ આવ્યો ત્યારે હું એકદમ સાવધ થઈ ગઈ હતી, કારણ કે ગોળીબારનો અવાજ હતો. સમયે મનાલીમાં ટૂરિસ્ટ બહુ આવતા નથી. કારણે કોઈ ફટાકડા ફોડે નહીં. આથી મેં તરત સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે કહ્યું હતું કે બાળકોએ ફટાકડા ફોડ્યા હોઈ શકે છે. મારા સિક્યોરિટી ગાર્ડે ગોળીબારનો અવાજ સાંભળ્યો નહોતો. જોકે, બાહર કોઈ નહોતું. અમે ઘરમાં માત્ર પાંચ લોકો છીએ. ત્યારબાદ અમે પોલીસને બોલાવી હતી.

કંગનાએ કહ્યું હતું, પોલીસે એમ કહ્યું કે કોઈ ચામાચીડિયાને મારવાનો પ્રયાસ કર્યો હશે, કારણ કે સફરજનની ખેતીને ચામચીડિયા નુકસાન પહોંચાડે છે. શનિવાર (પહેલી ઓગસ્ટ)ના રોજ અમે સફરજનના બગીચના માલિકને બોલાવ્યા હતા પરંતુ તેમાંથી કોઈએ ગોળીબાર કર્યો નહોતો.

(7:49 pm IST)