અબ તેરા ક્યાં હોગા ?:હાર્દિક પટેલનું ટ્વીટ :અમિતભાઇ ગૃહમંત્રી બન્યા બાદ ભક્તો ભારે ખુશ :ધમકીભર્યા મેસેજ આવવા લાગ્યા !!
ભાજપા વિરુદ્ધ લડનારા અમારા જેવા યુવાનોને મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા.'
નવી દિલ્હીઃ શપથ ગ્રહણ બાદ કેબિનેટમાં અમિતભાઈ શાહને ગૃહ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, તેઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારે ગુજરાતના કોંગ્રેસ યુવા નેતા હાર્દિક પટેલે અમિતભાઈ શાહ ગૃહ મંત્રી બનતા ટ્વીટ કરીને કહ્યું કે તેને ધમકી ભરેલા મેસેજ મળી રહ્યા છે.
હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું કે, 'અમિતભાઈ શાહ ગૃહ મંત્રી બન્યા છે માટે તેમને હાર્દિક શુભકામના પાઠવું છું. પરંતુ આજે કેટલાક ભક્તોએ મને મેસેજ કર્યો છે કે અબ તેરા ક્યા હોગા હાર્દિક. મતલબ કે અમિતભાઈ શાહ ગૃહમંત્રી બન્યા બાદ ભક્તો ભારે ખુશ છે. ભાજપા વિરુદ્ધ લડનારા અમારા જેવા યુવાનોને મારી નાખવામાં આવશે? ચાલો જેવી ભગવાનની ઈચ્છા.'
ગુજરાતમાં પાટીદાર આંદોલનના નેતા રહી ચૂકેલ હાર્દિક પટલે કોંગ્રેસનો હાથ થામ્યા બાદ લોકસભા ચૂંટણીમાં ભારે પ્રચાર કર્યો હતો. પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર ઉપરાંત મોદી અને અમિતભાઈ શાહ પર નિશાન સાધ્યું હતું. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો કે અમિતભાઈ શાહના ઈશારે રાજ્યમાં પ્રદર્શનકારિઓ સાથે સખ્ત વલણ અપનાવવામાં આવ્યું હતું.