મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

પાર્ટીના મંત્રી અને નેતાઓ અહંકારી થયા:લોકોને ભાષણથી નહીં રાશનથી ફરક પડે છે : ભાજપની હાર બાદ સાંસદ શત્રુઘન સિંહાના પ્રહાર

નવી દિલ્હી :પેટા ચૂંટણીમાં વધુ એક વાર ભાજપને પરાજયનો સામનો કરવા પડ્યો છે. ત્યારે હવે બીજેપી પાર્ટીની અંદરથી જ નિવેદન આવ્યુ છે. સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યુ કે અમે ખરાબ રીતે હાર્યા છીએ, અમારે આમાથી બોધ પાઠ લેવો જોઈએ,
 
તેઓએ વધુમાં કહ્યુ કે, પાર્ટીના મંત્રી અને નેતા હવે અહંકારી થઈ ગયા છે. લોકોને ભાષણથી નહીં પણ રાશનથી ફરક પડે છે. હું પાર્ટીની વિરૂધ્ધ નથી પણ સાચુ કહુ છું.

(12:00 am IST)