ઈન્ફોસિસના સહ-સંસ્થાપક પોતાની અડધાથી વધુ સંપત્તિ કરશે દાન !
માઈક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ-મલિન્ડા ગેટ્સ અને વૉરેન બફેટના પરોપકારી સંગઠનમાં શામેલ થશે
નવી દિલ્હી :ઈન્ફોસિસના સહ-સંસ્થાપક અને ચેરમેન નીલકેણિ. તેમની પત્ની રોહિણી નીલકેણિ દંપતી પોતાની અડધાથી વધુ સંપત્તિ દાન કરશે નીલકેંણી દંપતી ઉપરાંત ભારતીય મૂળના અબજોપતિઓ સહિતના તમામ લોકો માઈક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ-મલિન્ડા ગેટ્સ અને અમેરિકન બિઝનેસ ટાઈકૂન વૉરેન બફેટના પરોપકારી સંગઠનમાં શામેલ થવા જઈ રહ્યાં છે. આ લોકો પરોપકારના કાર્યો માટે પોતાની અડધીથી વધુ સંપત્તિ દાન કરી દેશે.
આ દાનવીરોમાં નીલકેણિ દંપતી ઉપરાંત અનીલ અને અલ્લિસન ભૂસરી, શમશીર અને શબીના વાયાલિલ, બીઆર શેટ્ટી અને તેમની પત્ની ચંદ્રકુમારી રઘુરામ શેટ્ટી શામેલ છે. આ બધા એ 14 દાનવીરોમાં શામેલ છે જેમણે ગત વર્ષે આ સંઘમાં શામેલ થવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી આ સંઘમાં 22 દેશોના 183 લોકો શામેલ થઈ ચૂક્યા છે. આ સંઘ 2010માં 40 અમેરિકન દાનવીરોના સંકલ્પથી શરૂ થયો હતો.
નંદન નિલકેણિ ઈન્ફોસિસ ઉપરાંત ‘એકસ્ટેપ’ના પણ કો-ફાઉન્ડર છે. આ એક NGO છે જે દેશના 20 કરોડથી વધુ બાળકોને જ્ઞાન આધારિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી તેમની શીખવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.
નંદનની પત્ની રોહિણી ‘અર્ધ્યમ’ની સંસ્થાપક અને ચેરપર્સન છે. આ ફાઉન્ડેશન જળસંચય અને સાફ-સફાઈના ક્ષેત્રમાં કામ કરે છે. આ સંગઠન સમગ્ર ભારતમાં આવી યોજનાઓને રૂપિયા આપે છે.
પોતાના દાનપત્રમાં નંદને ભગવદગીતાના શ્લોકનો ઉલ્લેખ કરતા લખ્યું કે, ‘આપણને કર્તવ્ય કરવાનો અધિકાર છે પણ તેનું ફળ મેળવવાનો અધિકાર નથી. એ અઘરું છે કે, આપણે માત્ર ભયથી કર્મહીન બનેલા રહીએ કે, આપણને કોઈ લાભ થવાનો નથી. આપણે તે દરેક વસ્તુ આપી દેવી જોઈએ જે આપણી પાસે સર્વશ્રેષ્ઠ છે.’
શરૂઆતના આઠમા વર્ષમાં આ ટ્રસ્ટ સાથે દુનિયાભરના પરોપકારી લોકો જોડાઈ ચૂક્યા છે. આમા, કેનેડા, ભારત. યુએઈ અને અમેરિકાના અબજોપતિઓ શામેલ છે. આ સંગઠનમાં દુનિયાભરના ધનાઢ્યો કે, જેઓ પોતાના જીવતેજીવ અડધી અથવા તેથી વધુ સંપત્તિ દાન કરી દે તેમને શામેલ કરવામાં આવે છે.