મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

રાજદ ના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા શાહબુદ્દીનનું કોરોનાથી મોત

હત્યાના કેસમાં તિહાડ જેલમાં સજા કાપતા બાહુબલી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો

નવી દિલ્હી : રાષ્ટ્રીય જનતા દળ ના પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદ્દીનનું કોરોના વાયરસના કારણે આજે દિલ્હીમાં નિધન થયું. તિહાડ જેલમાં ઉમરકેદની સજા કાપી રહેલો બાહુબલી શાહબુદ્દીન દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

મોહમ્મદ શાહબુદ્દીન હત્યા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. શાહબુદ્દીન વિરુદ્દ ત્રણ ડઝનથી વધુ કેસ ચાલુ હતા. 15 ફેબ્રુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટે તેને બિહારની સીવાન જેલથી તિહાડ લાવવાનો આદેશ આપ્યો હતો.

(11:57 am IST)