મુખ્ય સમાચાર
News of Saturday, 1st May 2021

૬૦ સેકન્ડ કોગળા કરો એટલે વાયરસનો ખાત્મો

હવે બજારમાં આવ્યુ હર્બલ માઉથ સેનેટાઇઝરઃ નિષ્ક્રીય થઇ જાય છે કોરોનાનો વાયરસ

લખનઉ,તા.૧: કોરોના વાયરસ  મોઢામાંથી નિકળીને કોઈ બીજાને સંક્રમિત ન કરે, તે માટે માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. તો વાયરસના વિષાણુ મોઢા-નાક દ્વારા ફેફસા સુધી પહોંચી તેને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જો આ વાયરસને મોઢામાં ખતમ કરી દેવામાં આવે તો ન તે છાતીને સંક્રમિત કરી શકશે, ન થૂક દ્વારા બહાર નિકળીને લોકોને બીમાર કરશે.

તેને ધ્યાનમાં રાખતા ઉત્ત્।ર પ્રદેશના નિવાસી અમેરિકી વૈજ્ઞાનિકે એક હર્બલ માઉથ સેનેટાઇઝર તૈયાર કર્યુ છે. તેનો પ્રયોગ કરવાથી કોરોના વાયરસ મોઢામાં નષ્ટ થઈ જશે. તે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે. તેમાં કોઈ પ્રકારનું કેમિકલ મિકસ કરવામાં આવ્યું નથી. સિદ્ઘાર્થનગરના બાંસીના મૂળ નિવાસી અને અમેરિકાના મેરીલેન્ડમાં યૂનિફામ્રડ સર્વિસ આફ હેલ્થ સાયન્સમાં વૈજ્ઞાનિક સહાયક પ્રોફેસર ડો. શાશ્વત શરદ શ્રીવાસ્તવે એવું હર્બલ સેનેટાઇઝર બનાવ્યું છે, જેનાથી ૬૦ સેકન્ડ સુધી કોગળા કરવા પર કોરોના વાયરસ નષ્ટ થઈ જાય છે.

શ્રીવાસ્તવે જણાવ્યુ કે, તેમણે આ હર્બલ સેનેટાઇઝર બિરલા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ હૈદરાબાદના પ્રોફેસર ડો. સુમન કપૂરની સાથે મળીને રાઇટશ્યોર નામના હર્બલ એન્ટીવાયરલ માઉથવોશ એન્ડ ગાર્ગલનું નિર્માણ કર્યુ છે. દવા તરીકે પ્રયોગ માટે  ખ્ત્ત્પ્લ્ જોધપુરમાં તેની કલીનિકલ ટ્રાયલ ચાલી રહી છે. ડો. શરદે જણાવ્યુ કે, આ માઉથવોશ મોઢાના વાયરસ, બેકટેરિયા અને અન્ય રોગોના કારકને નષ્ટ કરે છે. તેમાં મુલેથી, બ્રહ્મી, શતાવરી, નિગેલા, લીમડો, તુલસી, અશ્વગંધા, વરિયાળી  જેવી ૨૪ ઔષધિઓનું અર્ક છે, જયારે બીજા માઉથવોશમાં સંશ્લેશિત કેમિકલ હોય છે, જેનો લાંબા સમય સુધી પ્રયોગ નુકસાનકારક હોઈ શકે છે. આ હર્બલ સેનેટાઇઝરના કોગળાની અસર ચાર-પાંચ કલાક સુધી રહે છે.

આ હર્બલ સેનેટાઇઝર કોરોના વાયરસ સહિત અન્ય કોઈપણ વાયરસને મારવામાં સક્ષમ છે. ૩ML આ માઉથવોશને ૩૦ML પાણીમાં નાખી દિવસમાં ત્રણ-ચાર વાર ૬૦ સેકેન્ડ સુધી કોગળા કરવાથી વાયરસ વ્યકિતના ગળામાં ખતમ થઈ જાય છે. જેનાથી વાયરસને શરીરની અંદર જતો રોકી શકાય છે. કોરોના સંક્રમિત વ્યકિત પણ તેનો ઉપયોગ કરી જલદી સાજા થઈ શકે છે. એમેઝોનમાં આ રાઇટ શ્યોર ગાર્ગલ અને વન એમજીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેની કિંમત ૨૪૯ રૂપિયા જેટલી છે.

ડો. શાશ્વતે જણાવ્યુ કે, કોવિડ સંક્રમણ પહેલા પાંચ દિવસ સુધી જીભ અને ગળામાં રહે છે. ત્યાં ગુણાત્મક વૃદ્ઘિ કર્યા બાદ ફેફસાને સંક્રમિત કરી ગંભીર સંકટ પેદા કરે છે. આ હર્બલ સેનેટાઇઝરમાં મુખ્ય માત્રામાં સૈપોનિન છે, જે વાયરસના વસીય આવરણને નષ્ટ કરે છે. તેનાથી વાયરસનો લોડ ઓછો થાય છે અને શ્વાસ લેવામાં સંક્રમણની આશંકા ઘટાડે છે. વાયરસનું આવરણમાં મળતા એક ગ્લાઇકોપ્રોટીનમાં મૈનોસ અને મેનન ગ્લાયકન હોય છે, જેનાથી સેનેટાઇઝરના તત્વ ઝડપથી ક્રિયા કરે છે. તેવામાં કોરોના વાયરસ માનવ કોશિકામાં જોડાઈ શકતો નથી અને તે નિષ્ક્રિય થઈ જાય છે. તેથી શ્વાસ દ્વારા બહાર આવ્યા બાદ પણ વ્યકિતને સંક્રમિત કરી શકતો નથી.

(10:44 am IST)