મુખ્ય સમાચાર
News of Wednesday, 1st April 2020

દેશના અનેક રાજ્યોમાં તબલીગી જમાતના લોકોમાં કોરોના પોઝીટીવ

તબલિગી જમાતનાં લોકો દેશના તમામ ભાગોમાં મુસાફરી કરી

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ તબલિગી જમાતનાં લોકો દેશના તમામ ભાગોમાં મુસાફરી કરી છે. નવા કેસોમાં જમ્મુ અને કાશ્મીરના 23, તેલંગાણાના 20, આંધ્રપ્રદેશના 17, આંદામાન અને નિકોબારના 9, તમિળનાડુના 65, દિલ્હીના 18 અને પુડુચેરીના 2 કેસનો સમાવેશ થાય છે. જેમાં તબલિગી જમાતના લોકો ગયા છે કે તેમના સંપર્કમાં આવેલા લોગો છે. અન્ય સ્થળોએ પણ લોકોની તપાસ ચાલી રહી છે.

(8:14 pm IST)