દિલ્હીના નિઝામુદ્દીનના તબલીગી જમાતના હેડ કવાર્ટરની ૨૧૦૦ વિદેશીઓએ ભારત આવીને મુલાકાત લીધી
દેશના ૧૯ રાજયોના લોકોએ તબલીગી જમાતના આ વિશ્વના વડામથકની મુલાકાત લીધી હતી
નવી દિલ્હી : દિલ્હીના નિઝામુદ્દીનના તબલીગી જમાતના કાર્યક્રમ બાદ કોરોના વાયરસના કેસ વધ્યા છે ટાયરે સરકારે કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીનના તબલિગી જમાતના વડા મથકની પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી ૨,૧૦૦ વિદેશી લોકોએ મુલાકાત લીધી હતી.
દેશનાં ૧૯ રાજયોના લોકો પણ આ મથકકની મુલાકાતમાં આવ્યા હતા હાલમાં આ મથક કોરોના વાઇરસનું સૌથી મોટું એપિ સેન્ટર બની ગયું છે. આ મરકઝમાં છેલ્લા ૧૫ દિવસમાં ૫૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કુલ ૩૦૩ તબલિગી એકિટવિટસ્ટમાં કોવિડ-૧૯ના લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેમને દિલ્હીની હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયે વધુમા જણાવ્યું હતું કે અત્યાર સુધી ૧,૩૩૯ તબલિગી જમાત કામદારોને નરેલા, સુલતાનપુરી અને બક્કરવાલા સહિત વિવિધ હોસ્પિટલોમાં કવોરોન્ટાઇન સુવિધામાં મોકલી આપવામાં આવ્યા છે.