Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સરકાર અને RBI વચ્ચે વિવાદ યથાવત ? : બેંકે ફંડનો ઉપયોગ એનપીએ માટે કેમ કર્યો:સંઘના વિચારક ગુરુમૂર્તિએ કર્યો સવાલ

નવી દિલ્હી :આગામી સપ્તાહે યોજાઈ રહેલી RBI બોર્ડ મીટિંગના થોડાક દિવસ પહેલા RSSના વિચારક અને આરબીઆઈના સ્વતંત્ર નિદેશક એસ. ગુરુમૂર્તિએ સંકેત કર્યો છે કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેનો મતભેદ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.

 આરએસએસના વિચારક અને આરબીઆઈના સ્વતંત્ર નિદેશક એસ.ગુરુમૂર્તિએ આરબીઆઈને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે 2014 બાદ લોન પોલિસી શા માટે બદલવામાં આવી હતી? ગુરુમૂર્તિએ ક્રેડિટ પોલિસીને લઈને સરકારના વખાણ કર્યા છે અને આરબીઆઈ પર આરોપ લગાવ્યો છે કે તેણે ફંડનો ઉપયોગ એનપીએ માટે કર્યો છે.

(3:28 pm IST)