Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ઓયો દ્વારા ઈન્ડિગોના પૂર્વ અધ્યક્ષ આદિત્ય ઘોષની મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) તરીકે નિમણુંક

હોસ્પિટલિટી કંપની ઓયોએ ઈન્ડિગોના પૂર્વ અધ્યક્ષ આદિત્ય ઘોષની ભારત અને દક્ષિણ એશિયા માટે મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) તરીકે નિમણુંક કરી છે. કંપનીએ કહ્યું કે ઘોષની નિમણુંક ચાલુ વર્ષે ડિસેમ્બરથી લાગુ થશે.

  ઘોષ ઓયોના સંસ્થાપક અને સમૂહ સીઈઓ રિતેશ અગ્રવાલને રિપોર્ટ આપશે. ઘોષની પાસે 21 વર્ષનો વ્યવસાયિક અનુભવ છે. તેમણે ભારત, નેપાળ અને દક્ષિણ એશિયાના અન્ય નવા બજારોમાં આયો હોટલ્સના વ્યાપારને જોવાની જવાબદારી આપવામાં આવી છે

 . અગ્રવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઘોષ કંપનીને નવા ધોરણે સુયોજિત કરવામાં મદદ કરી શકશે. ઘોષે કહ્યુ કે તેઓ આ જવાબદારીને સંભાળવાથી ખૂબ ખુશ છે. તેમણે કંપનીના વેપારની દ્રષ્ટિએથી દક્ષિણ એશિયન બજારને ખૂબ મહત્વપૂર્ણ ગણાવ્યું.

 ઓયોના હોટલનું નેટવર્ક ભારત, ચીન, મલેશિયા, નેપાળ, બ્રિટેન, સંયુક્ત અરબ અમીરાત અને ઈન્ડોનેશિયાના 500 શહેર સુધી ફેલાયેલો છે.

(12:00 am IST)