Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મહારાષ્ટ્રમા સીએમ પદની ખેંચતાણ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવારની મુલાકાત લીધી

દિવાળીની શુભકામનાઓ ઉપરાંત અમે મહારાષ્ટ્રની રાજનીતિ પર ચર્ચા કરી.: સંજય રાઉત

 

મુંબઈ : મહારષ્ટ્રમાં ભાજપ અને  શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદની ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી  હતી  મુલાકાતને કારણે રાજકીય અટકળ તેજ બની છે  ન્યૂઝ એજન્સી એએનઆઇ મુજબ, મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે હું એનસીપી પ્રમુખ શરદ પવારને દિવાળીની શુભકામનાઓ આપવા માટે આવ્યો હતો. ઉપરાંત અમે મહારાષ્ટ્રની રાજનીતિ પર ચર્ચા કરી હતી

પહેલા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં શિવેસનાના તમામ ધારાસભ્યોએ રાજભવન જઇને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ આદિત્ય ઠાકરે સરકારના ગઠનને લઇને કોઇ નિવેદન નહોતુ આપ્યું.

  આદિત્ય ઠાકરે કહ્યું, અમે રાજ્યપાલને ખેડૂતો અને માછીમારોને સહાયતા કરવાનો અનુરોધ કર્યો, જેમને હાલમાં થયેલ વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. એમણે અમને આશ્વાસન આપ્યું છે કે તે ખુદ કેન્દ્રને વિશે વાત કરશે. ઉપરાંત સરકાર ગઠનને લઇને જ્યારે આદિત્યને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું, હું સરકારના ગઠન વિશે વાત નહીં કરું. ઉદ્ધવજીએ જે કહ્યું, તેના પર જે કહેવાનું હશે, તે કહેશે...તેમના શબ્દ અંતિમ છે

(10:03 pm IST)