Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સીપીઆઇના પૂર્વ સાંસદ અને ડાબેરી નેતા ગુરૂદાસ દાસગુપ્તાનું અવસાન

૮૩ વર્ષના હતાં: ૩ વખત રાજયસભા તથા બે વખત લોકસભા માટે ચૂંટાયા હતાં

નવી દિલ્હી તા.૩૧ : ભારતીય કોમ્યુનીસ્ટ પાર્ટી (સીપીઆઇ) ના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ ગુરૂદાસ દાસગુપ્તાનું આજે અવસાન થયું છે તેઓ ૮૩ વર્ષના હતાં. પોતાના રાજકીય કાર્યકાળમાં તેઓ ૩ વખત રાજયસભા અને બે વખત લોકસભાના સભ્ય રહ્યા હતા.

ગુરૂદાસ દાસગુપ્તાને દેશના દિગ્ગજ ડાબેરી નેતા ગણવામાં આવતા હતા. ૧૯૮પ માં પહેલીવાર તેઓ રાજયસભામાં ગયા હતાં તે પછી ૧૯૮૮માં ફરીવાર ચૂંટાયા હતા. ૧૯૯૪માં ત્રીજીવાર પસંદગી પામ્યા હતા. ર૦૦૪માં તેઓ લોકસભાની ચૂંટણી પણ જીત્યા હતા ર૦૦૯માં પણ તેઓ ચૂંટાયા હતા. આ દરમ્યાન તેઓ અનેક સંસદીય સમિતિઓ સાથે જોડાયેલા રહ્યા હતા.

તેઓ સ્પષ્ટ વકતા પણ હતા મજુર આંદોલનની હંમેશા તેઓ આગેવાની લેતા મજુરો-કામદારોના ન્યાય માટે સતત લડત લડતા હતા.

(11:44 am IST)