Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પીએમ મોદીની હવે ઘટી રહી છે લોકપ્રિયતા :દરેક સમયે લોકોને ઇમોશનલ રીતે મૂરખ ન બનાવી શકે.: તરુણ ગોગોઈ

જો પાર્ટીમાં દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે તો કૉન્ગ્રેસ આગામી સમયે સારી સીટ લાવી શકે છે

નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પ્રદર્શન પર આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગાઈએ કટાક્ષ કર્યો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે તેમની લોકપ્રિયતા હવે ઘટી રહી છે. દરેક સમયે તેઓ લોકોને ઇમોશનલ રીતે મૂરખ ન બનાવી શકે.

ગોગોઈએ કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપી પણ હારી શકે છે. જો પાર્ટીમાં દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે તો કૉન્ગ્રેસ આગામી સમયે સારી સીટ લાવી શકે છે.

ગોગોઈએ આસામમાં વિદેશીઓ માટે બનાવવામાં આવેલા ડિટેન્શન કૅમ્પમાં બીજા મોત વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ખૂબ દુખજનક છે. આ સરકારની બેદરકારીને કારણે આવું થયું છે. આ માનવ અધિકારનું ઉલ્લંઘન છે. કૉન્ગ્રેસ નેતાએ વિદેશીઓને કૅમ્પમાંથી મુક્ત કરવાની માગણી કરી છે.

(12:00 am IST)