Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

સારું પર્ફોર્મ કરવા માટે અર્જુન અવૉર્ડ હંમેશા પ્રેરણા આપશે:રવિન્દ્ર જાડેજા

હું હંમેશાં પ્રયાસ કરીશ કે ટીમ અને દેશ માટે સારું પર્ફોર્મ કરી શકું અને મૅચ જિતાડી શકું

નવી દિલ્હી : રાષ્ટ્રપતિના હસ્તે દેશના ૧૯ રમતવીરોને અર્જુન અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ હતું. પોતાને મળેલા અર્જુન અવૉર્ડ વિશે જાડેજાએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

  આભાર માનતાં જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે 'સૌથી પહેલાં તો મને અર્જુન અવૉર્ડ આપવા બદલ હું ભારત સરકારનો આભાર માનું છું અને બીજા અન્ય પ્લેયરોને પણ અવૉર્ડ મળવા બદલ શુભેચ્છા આપું છું. તેમણે વર્ષઆખું પોતાના ખેલમાં સારું પર્ફોર્મ કરીને આ અવૉર્ડ મેળ‍વ્યો છે. મારી નિષ્ઠાથી હું હંમેશાં પ્રયાસ કરીશ કે ટીમ માટે અને દેશ માટે સારું પર્ફોર્મ કરી શકું અને મૅચ જિતાડી શકું.'

(1:20 pm IST)