Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

આઝાદી પર્વ નિમિતે પ્રજાજોગ સંદેશ માટે વડાપ્રધાને લોકોના સૂચનો મંગાવ્યા

ન્યુદિલ્હી :15 ઓગ દેશના આઝાદી પર્વ નિમિત્તે વડાપ્રધાન દ્વારા દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી પ્રસારિત કરાતા પ્રજાજોગ સંદેશ માટે આ વર્ષે વડાપ્રધાને લોકોના મંતવ્યો મંગાવ્યા છે. આ દિવસે વડાપ્રધાન દેશને એવો સંદેશ આપે કે જેનાથી દેશની પ્રગતિમાં વધારો થાય. આ વખતે આઝાદીના પર્વ પર જ્યારે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી બોલતા હશે ત્યારે તમે કેવા મુદ્દાનો વડાપ્રધાન દ્વારા સમાવેશ કરવામાં આવે તે તમે ઈચ્છો છો?તમારા વિચારોને PM રજૂ કરશે

તમારા મુદ્દા પર વડાપ્રધાન લાલા કિલ્લા પરથી બોલ તેવું તમે ઈચ્છતા હોવ તો તે શક્ય છે. જો તમે વડાપ્રધાન મોદીને ભાષણ અંગે કોઈ સૂચન કે આઈડિયા આપવા માગતા હોવ તો તમે આપી શકો છો. આ માટે ખુદ વડાપ્રધાનન નરેન્દ્ર મોદીએ લોકોને જાણ કરી છ. જે મુજબ  લોકો ન્યુ ઈન્ડિયાના વિઝનને પણ રજૂ કરી શકે છે. જેમાં કેટલીક સલાહને પીએમ મોદી પોતાના 15મી ઓગસ્ટના ભાષણમાં સમાવશે.

(11:20 am IST)