Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

POK પર કબ્જો અસંભવ નથી : રાજનાથ

ખાનગી સમાચાર ચેનલને મુલાકાતમાં સંરક્ષણમંત્રીએ કહ્યું નાપાક હરકતો બંધ કરો

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથસિંહ પાકિસ્તાનના કબ્જાગ્રસ્ત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવીને નિકટ ભવિષ્યમાં તેના પર દેશના નિયંત્રણની સંભાવનાથી ઇન્કાર કર્યો નથી. કેન્દ્રીય મંત્રીએ એક ખાનગી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદે કબજાવાળુ કાશ્મીર (પીઓકે) ભારતનો જ હિસ્સો છે. ભારતના લઘુમતીઓને પાકિસ્તાન દ્વારા ભડકાવવા અંગે રાજનાથ કહ્યું હતું કે પાડોશી દેશે આ બધું બંધ કરવું જોઇએ.

(12:26 pm IST)