Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કોંગ્રેસ ન્યાયપાલિકા પર દબાણ લાવે છે : રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી :  કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર ન્યાયપાલિકા પર દબાણ બનાવવા આરોપ લગાવીને જણાવ્યું હતું કે ચૂંટણીમાં વારંવાર હારેલા લોકો આ પ્રકારે રાજનીતિને નિયંત્રિત કરી નહીં શકે. લોકડાઉન પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સવાલ ઉઠાવવા અંગે પ્રસાદે ફરી એક વખત કહ્યું હતું કે તેમનું તો તેમના મુખ્યમંત્રીઓ જ સાંભળવા નથી. આનો અથૃ એ થાય કે યા તો તેમની વાતોમાં વજન નથી અથવા તેમની વાતોને મુખ્યમંત્રીઓ ગંભીરતાથી લઇ રહ્યા નથી.

(12:23 pm IST)