Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નિઝામુદ્દીનના તબલીગી જમાતના મર્કજમાં સુરતમાં 76 લોકો સામેલ હતા:72ને શોધી કાઢ્યા : તમામને ક્વોરેન્ટાઇન કરાયા

 

દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો એકઠાં થયાં હતાં. જેમાંથી 1033 લોકો  વતન પહોંચી ચૂક્યા છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર મુજબ તબલીઘી જમાતના 76 લોકો કાર્યક્રમમાં ગયા હતા. ઉપરાંત બનાસકાંઠાના ભાભરના પણ 11 લોકો કાર્યક્રમમાં સામેલ થયા હોવાની ચર્ચા ચાલી છે. જેમાંથી સુરત મહાનગરપાલિકાએ 72 લોકોને શોધી કાઢ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. હાલ મળેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે

  બાકીનાની હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું કે, લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ફેલાય.

(10:50 pm IST)