Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વુહાનના લોકોએ સબુત બતાવી દાવો કર્યો, કોરોના વાયરસથી આધિકારિક આંકડોઓથી ઘણા વધારે મોત થયા

વુહાન :  ચીનના વુહાન શહેરથી નોવલ કોરના વાયરસનો પ્રસાર શરૂ થયો હતો ત્યાં બે મહિનાના લોકડાઉન પછી શનિવારના ઢીલ આપવામાં આવ્ી હતી. ત્યાં સુધી કે થોડી પેસેન્જર અને ટ્રેનો પણ શરૂ કરવામાં આવી પણ આ પછી આ વિસ્તારમાં લોકોના મનમાં થોડા સવાલ પણ છે.

રેડિયો ફ્રી એશિયાના રીપોર્ટ મુતાબિક લોકોમાં મોતના સરકારી આંકડાને લઇ ભ્રમ પણ ફેલાઇ રહ્યો છે. સરકારના મુતાબિક રપ૦૦ લોકોના મોત થયાં છે. પણ લોકોનું માનવું છે. આ આંકડા જેટલા બતાવે છે એનાથી ઘણા વધારે છે. છ દિવસમાં એક પણ કેસ સામે નથી આવ્યો આંતરરાષ્ટ્રીય યાત્રિયો પર રોક લાગ્યા પછી ચીનમાં સતત ચોથા દિવસે નવા મામલામાં ઘર આવી છે. વુહાનમાં પ્રતિષ્ઠાનો ખુલી ગયા છે આ અઠવાીડયાની શરૂઆતમાં વુહાનના સાત સ્મશાનોમાં લગભગ પ૦૦ શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આના હિસાબે આંકડામાં શંકા છે. અંતિમ સંસ્કાર કરવા વાળા લોકોએ સોમવારના લોકોને રાય અને અસ્થિ આપવાના શરૂ કર્યા છે. કાઇસીન નામની એક વેબસાઇટના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે પ૦૦૦ લોકોને અસ્થિ કળશ આપવામાં આવ્યા.

 

(12:00 am IST)