Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કોહલી ભકિતના રંગમાં રંગાયો... પત્ની - પુત્રી સાથે ઋષિકેશ પહોંચ્યો

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટને હાલમાં ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી આરામ અપાયો છે અને હાલમાં તે દેશના મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે. એક કહીએ ચાલે કે કોહલી ભકિતના રંગમાં રંગાયો છે. પહેલા કોહલીએ પરિવાર સાથે વૃંદાવનની મુલાકાત લીધી હતી જે પછી કોહલી, પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે ઋષિકેશ પહોંચ્યો હતો.

વિરાટ- અનુષ્કા ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચી ગયા છે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયલે જણાવ્યું કે, અહીં પહોંચ્યા બાદ તેમણે બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી. આ સાથે ગંગા ઘાટ પર સંતો અને પંડિતો સાથે ગંગા આરતી પણ કરવામાં આવી હતી. કોહલીનો યોગ ટ્રેનર પણ તેમની સાથે આશ્રમમાં રોકાયા છે

(11:37 am IST)