Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ભાજપ દખલગીરી બંધ નહિં કરે તો અમે કોઈ પણ હદ સુધી જવા તૈયાર : સિરસા

ભાજપ દ્વારા ગુરૂદ્વારાઓની સંચાલન સમિતિઓમાં હસ્તક્ષેપ અંગે શિરોમણીઅકાલી દળના મહામંત્રી મનજિંદરસિંહ સિરસાએ જણાવ્યું કેઅમારા માટે ભાજપ સાથે ગઠબંધન મહત્વનું નથી. અમારા માટે ખુરશીઓ (હોદ્દાઓ)મહત્વની નથી, સાંસદ, ધારાસભ્ય અને પ્રધાન બનવાનું પણ જરૂરી નથી.

જો કોઇ શીખો પાસેથી અધિકાર આંચકવાની કોશિશકરશે તો અમે ભાજપ સરકારને હચમચાવી નાખીશું, શીખ માટે ગુરૂદ્વારા સૌથી ઉપર, અમારા માટે ભાજપસાથેનું ગઠબંધન કોઇ અર્થ ધરાવતું નથી : સિરસા

તેમણે એવો આરોપ પણમુક્યો કે ભાજપ સરકાર ઇલેક્શનને બદલે પાછલા બારણેથી સિલેક્શનથી પોતાનાપ્રધાન (વડા) થોપવા માગે છે. અમારા માટે ગઠબંધન કોઇ અર્થ ધરાવતું નથી.ગુરૂદ્વારાના વડા કોણ બનશે, તે નક્કી કરવાનો અધિકાર શીખોનો છે, સરકારનોનથી.

(12:47 pm IST)