Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

...તો દારૂબંધીની જેમ તમાકુબંધી પણ લાવી શકશે સરકાર

તમાકુ પર સકંજો કરાવા ચાહે છે સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર એક એવો સુધારો કરવા પ્રયાસ કરી રહી છે કે જો તે પાસ થઈ ગયો તો, પાન-મસાલા કે સિગરેટ બીડી જેવી તમાકુની પ્રોડકટ્સ પર સરકાર ધારે તેવા નિયંત્રણો લાદી શકશે. સરકારે સુપ્રીમ કોર્ટને તમાકુને શ્નઆઉડસાઈડ કોમર્સલૃકેટેગરીમાં મૂકવા ભલામણ કરી છે. જો કોર્ટ તેને પરવાનગી આપી દે તો તમાકુની કંપનીઓને વેપાર કરવાનો કાયદાકીય હક્ક નહીં રહે.

સરકાર માટે તેવા  નિયંત્રણ મુકી શકશે

આ વાતનો સીધો અર્થ એ છે કે જો તમાકુને શ્નઆઉટસાઈડ કોમર્સલૃકેગેટરીમાં મૂકવામાં આવે તો સરકાર માટે તેના પર ધાર્યા નિયંત્રણો મૂકવા આસાન થઈ જશે. મહત્વનું છે કે, ભારતમાં તમાકુ પ્રોડકટ્સનું ૧૧ અબજ ડોલરનું માર્કેટ છે. તેવામાં જો તમાકુ પ્રોડકટ્સ પર નિયંત્રણ પર મૂકવાના સરકારના આશયને સુપ્રીમ મંજૂરી આપી દે તો આ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

દારૂ જેવો કાયદો તમાકુ માટે

આ વાતને સરળ શબ્દોમાં એવી રીતે સમજાવી શકાય કે, સુપ્રીમ કોર્ટે ૧૯૭૦જ્રાક્નત્ન દારુને પણ આ જ કેટેગરીમાં મૂકી દીધો હતો, જેના કારણે જ ભારતમાં બિહાર તેમજ ગુજરાત જેવા રાજયો સંપૂર્ણ દારુબંધી લાવી શકયા, અને તેને દારુ બનાવતી કંપનીઓ કોર્ટમાં ચેલેન્જ પણ ન કરી શકી. એકસપર્ટ્સનું માનીએ તો કંઈક આવું જ તમાકુ પ્રોડકટ્સમાં પણ થઈ શકે છે.

નિયંત્રણની અસર વ્યાપક હશે

આ મામલા સાથે સંકળાયેલા સરકારી વકીલ આર બાલાસુબ્રમણ્યમનું કહેવું છે કે, આલ્કોહોલ કરતા પણ તમાકુ પર આવનારા નિયંત્રણની અસર વ્યાપક હશે. સુપ્રીમ તેના માટે મંજૂરી આપી દે તો તમાકુના વપરાશ પર નિયંત્રણ મૂકવા અને લોકોને તેનાથી દૂર રાખવા સરકાર આકરાં પગલાં લઈ શકશે. જોકે, સરકારે તમાકુ પર પ્રતિબંધ મૂકવા અંગે કોઈ ચર્ચા નથી કરી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

ભારતમાં દર વર્ષે નવ લાખ લોકો તમાકુના કારણે મરે છે. સરકારે તાજેતરના વર્ષોમાં તેના પર લાગતા ટેકસમાં પણ વધારો કર્યો છે, અને સિગરેટના પેકેટ પર તો ચેતવણી આપતી જાહેરખબરની સાઈઝ પણ દ્યણી મોટી કરી દેવાઈ છે. સરકાર તો આખાય પેકેટ પર આ ચેતવણી છપાય તેવું ઈચ્છતી હતી, પરંતુ તેની સામે કર્ણાટકની કોર્ટે મનાઈ ફરમાવી દીધી હતી.

સરકારના આ આદેશ સામે સિગરેટ કંપનીએ કોર્ટમાં અપીલ કરી હતી. કંપનીનો દાવો હતો કે, આ નિર્ણયથી તેના વેપાર કરવાના હક્ક પર તરાપ વાગે છે, જે દલીલ માન્ય રાખી કોર્ટે સિગરેટના આખા પેકેટ પર ચેતવણી છાપવાના નિર્ણયને બહાલી નહોતી આપી. સરકારે તેની સામે સુપ્રીમમાં અપીલ કરી છે, અને કોર્ટે હાલ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકયો છે. આ કેસની સુનાવણી ૧૨ માર્ચે થવાની છે.

લોકો તમાકુથી દૂર રહે, અને તેની આડઅસરથી જાગૃત બને તે માટે સરકારના પ્રયાસો સામે ફરી કોઈ તમાકુ કંપની કોર્ટમાં ન જાય તે માટે સરકાર આ સમસ્યાનું મૂળથી જ સમાધાન ઈચ્છે છે. માટે જ, સુપ્રીમ કોર્ટ તમાકુને આઉટસાઈડ કોમર્સ પ્રોડકટ જાહેર કરી દે તેવા સરકાર પ્રયાસ કરી રહી છે. ભારતમાં સિગરેટ વેચતી ટોચની કંપની ITCનું  માનવું છે કે, જો આમ થયું તો તેમની વેપાર કરવાની તકો દ્યણી ઓછી થઈ જશે. કંપનીઓ તો સરકારના આ નિર્ણય સામે છેક સુધી લડી લેવા પણ તૈયારી કરીને બેઠી છે. તેમનો દાવો છે કે, તમાકુ ઉદ્યોગ પર સાડા ચાર કરોડથી પણ વધુ લોકોને રોજગાર મળે છે. કંપનીની એવી પણ દલીલ છે કે, તમાકુ હેલ્થને નુકસાન નથી કરતી. જો તમાકુથી નુકસાન થતું હોય તો સુગરથી પણ નુકસાન થાય જ છે.

(4:22 pm IST)