Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

કેન્દ્રીય વિદ્યાલય માટે બિહાર સરકાર પાસે જમીન માંગી રહેલ આરએલએસપી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કર્યા આમરણાંત ઉપવાસના પારણા

        નવાદા અને ઔરંગાબાદમાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવા માટે બિહાર સરકાર પાસે જમીનની માંગણી કરી રહેલ ર૬ નવેમ્બરથી આમરણાંત ઉપવાસ કરી રહેલ આરએલએસપી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ શનિવારના પોતાના આમરણાંત ઉપવાસના પારણા કર્યા.

        ઉપેન્દ્રએ ટવિટ કર્યુ કે બિહાર અને દેશના  ગરીબ બાળકોને ગુણવતાપૂર્ણ શિક્ષા મળે એમનો પરિવાર આત્મનિર્ભર થઇ શકે તે માટે એક થઇને સંઘર્ષ કરતા રહેશું.

(11:27 pm IST)