Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સિયાચિનમાં બરફનાં તોફાનનાં કારણે સેનાનાં બે જવાન થયા શહિદ

સૈન્યનાં હેલિકોપ્ટર દ્વારા સૈનિકોને સલામત સ્થળે લઈ જવાયા

નવી દિલ્હી : બર્ફીલા તોફાનથી સિયાચિન ગ્લેશિયર પર તૈનાત ભારતીય સેનાનાં બે જવાન શહીદ થયા છે  શનિવારે સિયાચિન ગ્લેશિયરની 18 હજાર ફૂટની ઉંચાઇએ પેટ્રોલિંગ દરમિયાન બની હતી. જે બાદ એવલાંચ બચાવ ટીમ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને પેટ્રોલીંગ પાર્ટીનાં તમામ સભ્યોને બહાર કાઠવામાં સફળ રહી હતી.

દુર્ઘટનાની જાણ થતા એવલાંચ બચાવ ટીમ (એઆરટી) તુરંત જ એક્શનમાં લાગી ગઈ હતી અને પેટ્રોલિંગ પાર્ટીનાં તમામ સભ્યોને બહાર કાઠવામાં સફળ રહી હતી. દરમિયાન, સૈન્યનાં હેલિકોપ્ટર દ્વારા સૈનિકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબી ટીમનાં તમામ પ્રયાસો છતાં સેનાનાં બે જવાનોનાં જીવ બચાવી શકાયા નહીં

(11:04 pm IST)