Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બીએમસીએ અમારા પડોશીઓને પણ ઘર તોડવાની ધમકી આપીઃ કંગના રનૌતનો આક્ષેપ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતએ મંગળવારે આરોપ લગાવ્યો છે કે, બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ તેમના પડોશીઓને નોટિસ આપી છે. અભિનેત્રીનો દાવો છે કે, બીએમસીએ ધમકી આપી છે કે જો તે તેમના સમર્થન કરશે, તો તેમના ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવશે.

કંગના રનૌતએ તેના ઓફિસિયલ એકાઉન્ટથી ટ્વીટ કરતા કહ્યું, આજે બીએમસીએ મારા તમામ પડોશીઓને નોટિસ મોકલી છે. બીએમસીએ મને સામાજિક રીતથી અલગ-થલગ કરવાની ધમકી આપી છે. મારા પડોશીઓને કહ્યું છે કે, જો તેમણે મને સમર્થન આપ્યું, તો તેમના ઘર પણ તોડવામાં આવશે. મારા પડોશીઓ મહારાષ્ટ્ર સરકારની સામે કંઈ બોલ્યા નછી, મહેરબાની કરી તેમના ઘરોને છોડો.

કંગના અને શિવસેના સરકાર વચ્ચે શાબ્દીક યુદ્ધને ધ્યાનમાં રાખી ગેરકાયદેસર બાંધકામના સંદર્ભે બાંદ્રામાં સ્થિત કંગનાની ઓફિસને બીએમસી દ્વારા 9 સપ્ટેમ્બરના તોડવામાં આવી હતી. જો કે, બોમ્બે હાઇકોર્ટથી સ્ટે ઓર્ડર મળ્યા બાદ તેનું કામ રોકવામાં આવ્યું હતું.

કંગનાને નુકસના પહોંચાડવા આવેલ તની ઓફિસની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

(5:10 pm IST)