Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હું કયાંય નથી ભાગી રહ્યોઃ દેશ છોડવાની ખબરો પર જીના સંસ્‍થાપક સુભાષ ચંદ્રાની સ્‍પષ્‍ટતા

     એસ્‍સેલ ગ્રુપમાં જારી કર્જની સમસ્‍યા વચ્‍ચે દેશ છોડવાની ખબરો પર જી એન્‍ટરટેઇનમેન્‍ટના સ્‍વામિત્‍વવાળા ગ્રુપના સંસ્‍થાપક સુભાષ ચંદ્રાએ કહ્યું છે કે તે ભાગી નથી રહ્યા.

     એમણે એક ન્‍યુઝ ચેનલને કહ્યું એસ્‍સેલ ગ્રુપ મજબૂત છે અને આ મુશ્‍કેલીના સમયમાંથી નીકળી આવશે. ચંદ્રાની સફાઇ છતા જી. એન્‍ટરટેનમેન્‍ટના શેર ૮ ટકા સુધી ગબડયા.

     સુભાષચંદ્રાના પુત્ર અને જી એન્‍ટરટેઇનમેન્‍ટના સીઇઓએ ટવિટ કર્યુ તે મુંબઇમાં આવેલા ઘર પર જ છે.

(10:59 pm IST)