Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મધ્યપ્રદેશના ભાજપના સાંસદે IAS અધિકારીને જાહેરમાં આપી ધમકી: કહ્યું જીવતા દફનાવી દેવાશે

સાંસદએ કહ્યું યાદવને જીવતા દફનાવી દેવામાં આવશે. જો હું મોડો પડુ તો આ કામ જનતાએ કરવાનું છે

મધ્ય પ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ જાહેરમાં આઈએએસ અધિકારીને ધમકી આપી. તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, નગરનિગમના આયુક્ત સભાજીત યાદવને જીવતા દફનાવી દેવામાં આવશે. જો હું મોડો પડુ તો આ કામ જનતાએ કરવાનું છે.

જ્યારે નગરનિગના અધિકારીઓ તમારી પાસે નાણા માગે ત્યારે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવે. જોકે, જનાર્દન મિશ્રાએ આપેલા નિવેદન બાદ તેમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

જનાર્દન મિશ્રા રીવા બેઠક પરથી બીજી વખત ચૂંટાઈને આવ્યા છે. આ પહેલા પણ તેઓ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે.

(12:58 pm IST)