Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

છત્તીસવઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલની ચેલેન્જ

સંઘ જે દિવસે ગોડસે મુર્દાબાદ કહેશે એ દિવસથી મોદીજીને ગાંધીવાદી માની લઇશું

રાયપુર તા ૩૦ : છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે કહ્યું કે બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વિચારધારાને માનતા નથી. તેમણે કહ્યું કે જયારે બીજેપી અને સંઘના લોકો નાથુરામ ગોડસે મુર્દાબાદના નારા લગવાશે ત્યારે અમે માનીશું  કે તેઓ મહાત્મા ગાંધીની કિંમત સમજે છે.

પ્રેસ-કોન્ફરન્સમાં ભૂપેશે કહયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહાત્મા ગાંધીના સાચા વિચારક નથી. તેમણે કહ્યું કે હું મોદીજીને ત્યારે સાચી ગાંધી વિચારધારાવાળી વ્યકિત માનીશ જયારે તે આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદની સામે કાર્યવાહી કરશે. આ લોકો પોતાના ઘરમાં ગોડસેની મૂર્તિ રાખીને પૂજા કરે છે.

(11:46 am IST)