Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નોરતુ ર જુઃ યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

આદ્યશકિતની આરાધનાથી જીવન સફળ બનાવીએ

જગત જનની મા આદ્યશકિતની આરાધના માટે તન-મનની પવિત્રતા જરૂરી છે. આ માટે બીજુ કાંઇ નહી તો નવરાત્રી દરમ્યાન દરરોજ સવાર સાંજ અર્ધો કલાક શાંત મને બેસીને એકાગ્રતા કેળવીને કરૂણામયી મા ની આરાધના કરવી આવશ્યક છે.

શરીરના અંગો માટે પ્રાર્થના કરી શકાય હે મા, મારા શરિરના સર્વ અંગ ઉપાગનું  રક્ષણ કરો ને તે સર્વનેદિવ્ય શકિતથી ભરી દો હે માં આદ્યશકિત આપ તો મહાઉત્સાહ આનંદ આપનાર છો અને ભયને દૂર કરનાર છો.

નવરાત્રી પર્વ આત્મ શુદ્ધિની તપ અને સાધનાનું પર્વ છે. ચૈત્ર અને આસો માસમાં આવતી નવરાત્રી આત્મ શુદ્ધિ અને આત્મબળ વધારનારી બની શકે છ.ે

નવરાત્રી પર્વ દરમ્યાન શારિરીક માનસિક તથા ઘરની અંદર પવિત્રતા શુદ્ધતા જાળવવી જરૂર છે. દરરોજ સવારે અને સાંજે મા ની આરાધના પ્રાર્થના કરવી સદવર્તન સદવાંચન સત્કાર્ય કરવુ સાત્વિક આહાર, વાણી, વર્તન અને વિચાર સંયમ કેળવવો.

મા આદ્યશકિત ભગવતી વિશ્વંભરી વિશ્વ વંધ્ય ઇશ્વરી છે. દિવ્ય સ્વરૂપે સમસ્ત બ્રહ્માંડનું કલ્યાણ કરે છ.ેમહાશકિત આનંદ સ્વરૂપીણી, પ્રેરક શકિત છે. તેમજ જીવનદાત્રી છે.

જગતજનની મા ભવાની -જગદંબા સર્વના દિલમાં શકિત સ્વરૂપે બીરાજે છ.ે એ જ માં જગદંબાની કૃપા શકિતથી નવજીવન પ્રાપ્ત થાય છ.ે એજ બુદ્ધિ...એજ.ધુતિ...એજ...ગતિથી મા જગદંબાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીને સમૃદ્ધ, ઉન્નત જીવન માટે નિર્મળ બુદ્ધિ અને દ્રષ્ટિ માટે મન, શરિર, અને આત્મામાં રહેલા અંશોને પ્રગટ કરવા માટે જગતજનની મા આદ્યશકિતની કૃપા પ્રાપ્ત કરવી જરૂરી બને  છે.

મા શકિતના ગરબા એક ખરા અર્થમાં આરાધના બની શકે છે અને તેના દ્વારા નવરાત્રી પર્વમાં આત્મશુદ્ધિ અને આત્મબળ વધારવાની સાધના બનવી જોઇએ.

આ દેવી સર્વભુતેષુ શકિત રૂપેણ સંસ્થિતા નમસ્ત યૈ નમસ્ત યૈ નમસ્ત યૈ નમોનમઃ

આ દેવી સર્વભુતેષુ માતૃરૂપેણ સંસ્થિતા

નમસ્ત યૈ નમસ્તયે નમસ્તયે નમોનમ : 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:05 am IST)