Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમમાં લતા મંગેશકરે કહેલ કે તમારા આવ્યાં બાદ દેશની છબી બદલાઈ છે અને તેનાથી મને ઘણો આનંદ થયો છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે કહ્યું કે તમારા આવ્યાં બાદ દેશની છબી બદલાઈ છે અને તેનાથી મને ઘણો આનંદ થયો છે. હકીકતમાં મોદીએ અમેરિકા રવાના થતા અગાઉ લતા મંગેશકર સાથે ફોન પર વાત કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. મન કી બાત કાર્યક્રમમાં તેમણે તે ફોનનું રેકોર્ડિંગ સંભળાવ્યું હતું જે તેમણે લતા મંગેશકરને ફોન કર્યો હતો ત્યારે રેકોર્ડ કર્યું હતું. કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે આજે હું મન કી બાતમાં દેશની મહાન વ્યક્તિ અંગે વાત કરીશ. આપણને બધાને દેશવાસીઓને તેમના પ્રત્યે ખુબ સન્માન અને લગાવ છે. તેઓ ઉંમરમાં પણ આપણાથી  ખુબ મોટા છે. આપણે તેમને લતાદીદી કહીએ છીએ. લતા દીદી 28 સપ્ટેમ્બરે 90 વર્ષના થઈ રહ્યાં છે. આવો આપણે જાણીએ કે પીએમ મોદી અને લતા મંગેશકર સાથે શું વાત થઈ.

પીએમ મોદી: તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. અગાઉથી શુભેચ્છા આપુ છું. તમારું સ્વાસ્થ્ય સારું રહે. તમારા આશીર્વાદ અમારા પર સદાય રહે. બસ એ જ પ્રાર્થના અને તમને પ્રણામ કરવા માટે મે, અમેરિકા જતા પહેલા જ તમને ફોન કર્યો.

લતા મંગેશકર: તમારો ફોન આવશે, એ જાણીને મને ખુબ આનંદ થયો હતો. તમે પાછા ક્યારે ફરશો?

પીએમ મોદી: હું 28મીએ મોડી રાતે અને 29મીની સવારે...ત્યાં સુધીમાં તમારો જન્મદિવસ પતી ગયો હશે.

પીએમ મોદી: જ્યારે તમે ગર્વથી કહો છો કે તમારા માતા ગુજરાતી હતાં ત્યારે મને તો આનંદ થાય છે. જ્યારે પણ હું તમારી પાસે આવ્યો ત્યારે તમને મને કઈકને કઈ ગુજરાતી વ્યંજન ખવડાવ્યાં.

(12:00 am IST)