Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

31 ઓક્ટોબર બાદ કાશ્મીરમાં નવી નીતિ લાગૂ થશે : કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહનું મોટું નિવેદન

ભાજપની ત્રણ પેઢીએ જમ્મુ કાશ્મીરને આર્ટિકલ 370માંથી મુક્તિ અપાવવાનું કામ કર્યુ

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જમ્મુના કટરામાં માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા. તેમણે કટરામાં જણાવ્યુ હતુ કે, ભાજપની ત્રણ પેઢીએ જમ્મુ કાશ્મીરને આર્ટિકલ 370માંથી મુક્તિ અપાવવાનું કામ કર્યુ છે. આર્ટિકલ 370 હટતાની સાથે જમ્મુ કાશ્મીરનો વિકાસ થવાનો છે.જીતેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું હતું કે 31મી ઓક્ટોબર બાદ રાજ્યમાં નવી નીતિ લાગૂ થવાની છે. જમ્મુ કાશ્મીરની જનતાને આર્ટિકલ 370માંથી મુક્ત થવા માટે 70 વર્ષની રાહ જોવી પડી ત્યારે કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે.

(12:00 am IST)