Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કેરળમાં કોરોનાનો કહેર થોડો ઘટ્યો :દેશમાં નવા 30.173 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 35.987 દર્દીઓ રિકવર થયા : વધુ 202 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.38.589 થયો :એક્ટીવ કેસ 3.64.403 થયા : કુલ કેસની સંખ્યા 3.27.67,749 થઇ

સૌથી વધુ કેરળમાં 19.622 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3741 કેસ, તામિલનાડુમાં 1523 કેસ, કર્ણાટકમાં 973 કેસ, આંધ્રપ્રદેશમાં 878 કેસ ,ઓરિસ્સામાં 849 કેસ, ઓરિસ્સામાં 609 કેસ,આસામમાં 538 કેસ, પશ્ચિમ બંગાળમાં 510 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 30.173 કેસ નોંધાયા છે. જ્યારે 35.987 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 30.173  નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 202 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.38.589 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.173 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.27.67.749 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.64.403 થઇ છે છેલ્લા 24 કલાકમાં 35.987 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.19.51.964 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી વધુ કેરળમાં 19.622 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3741 કેસ, તામિલનાડુમાં 1523 કેસ,કર્ણાટકમાં 973 કેસ,  આંધ્રપ્રદેશમાં 878 કેસ ,ઓરિસ્સામાં 849 કેસ, ઓરિસ્સામાં 609 કેસ,આસામમાં 538 કેસ, પશ્ચિમ બંગાળમાં 510 કેસ નોંધાયા છે

(12:24 am IST)