Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જેલોના કેદીઓને મળી મોટી રાહત, સજામાં 30 દિવસનો કરાશે ઘટાડો

બળાત્કાર જેવા ગંભીર ગુન્હાના કેદીની સજા નહીં ધટે

ન્યૂ દિલ્હી :​ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સોમવારે કહ્યું કે, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સિવાય રાજ્યની જેલોમાં દોષિત કેદીઓની 30 દિવસની કેદ માફ કરવામાં આવશે. આજે શ્રી કૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ભોપાલ સેન્ટ્રલ જેલમાં કૃષ્ણ-કન્હૈયાને પ્રાર્થના કર્યા બાદ મિશ્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, “રાજ્યની જેલોમાં દોષિત કેદીઓની 30 દિવસની સજા માફ કરવામાં આવશે. આ તે કેદીઓને લાગુ પડશે જેમને બળાત્કાર જેવા ગંભીર ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા નથી.

તેમણે કહ્યું કે, હવે દર વર્ષે શ્રી કૃષ્ણની જન્મજયંતી નિમિત્તે જેલોમાં ફળો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. મિશ્રાએ કહ્યું કે, ભોપાલ સેન્ટ્રલ જેલમાં કેન્ટીન પણ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

2 વર્ષ પહેલા ગુજરાતમાં પણ આવો નિર્ણય લેવાયો હતો. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના 158 કેદીઓને જેલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં 125, 304 અને 326ના ગુનામાં સજા કાપી રહેલા 24 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સજા ભોગવી રહેલા કેદીઓમાં 55 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને સજાનો અડધો સમય પુરો કરી ચૂકેલા તેવા કેદીઓની સજા માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં પોલીસ (UP Police) સતત બદમાશો પર કડક કાર્યવાહિ કરી રહી છે. આ અંતર્ગત આગ્રામાં 50 હજારના ઇનામી મુકેશ ઠાકુર (Mukesh Thakur Encounter) અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું જેમાં ગુનેગાર માર્યો ગયો છે. પોલીસે કરેલા ચેકિંગમાં મુકેશ ઠાકુરે ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ મુકેશ ઠાકુર જવાબી ફાયરિંગમાં ઘાયલ થયો હતો જેને એસએન મેડિકલમાં મૃત જાહેર કરાયા હતા. તે જ સમયે, એન્કાઉન્ટરમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા છે.

(10:56 pm IST)