Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું- રામ વગર અયોધ્યા નથી અને જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે.

અયોધ્યા શબ્દનો અર્થ થાય છે કે, જેની સાથે યુધ્ધ કરવુ શક્ય નથી.

નવી દિલ્હી : દેશના અયોધ્યામાં શરુ થયેલા રામાયણ કોન્ક્લેવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે,'રામ વગર અયોધ્યા નથી અને જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે

આ નગરીમાં ભગવાન રામ કાયમ માટે બિરાજમાન છે. રામાયણ એવો ગ્રંથ છે જે ભગવાન રામના માધ્યમથી વિશ્વ સમક્ષ માનવ જીવનના ઉચ્ચતમ આદર્શ અને મર્યાદાને પ્રસ્તુત કરે છે.મને વિશ્વાસ છે કે, રામાયણના પ્રચાર પ્રસાર માટે સરકારનો પ્રયાસ માનવતાના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થશે.'

રામનાથ કોવિંદે કહ્યું હતું કે,'અયોધ્યા શબ્દનો અર્થ થાય છે કે, જેની સાથે યુધ્ધ કરવુ શક્ય નથી. રઘુવંશી રાજાઓની શક્તિના કારણે અયોધ્યાને અપરાજિત માનવામાં આવતી હતી. રામાયણ આપણને એક એવી આચાર સંહિતાના દર્શન કરાવે છે.'

(12:00 am IST)