Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

રાહુલ ગાંધીએ કોરગ્રુપની બેઠક બોલાવી ;કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા પહેલા આક્રમકઃ રણનીતિ પર ચર્ચા

બપોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પીએમ નિવાસનો ઘેરાવ કરવામાં આવે તેવી શક્યતા: પાર્ટીના સંપૂર્ણ કાર્યક્રમોનું વિવરણ અને તથ્યો કોર કમિટી પાસેથી પ્રાપ્ત કરશે

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે કૈલાસ માનસરોવરની યાત્રાએ જઈ રહ્યા છે. યાત્રા પર રવાના થતા પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના કોર ગ્રુપના પદાધિકારીઓની સાથે એક બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં રફાલ ડીલ પર મોદી સરકારને ઘેરવાની આક્રમક રણનીતિ પર ચર્ચા થવાની છે.

 બપોરે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પીએમ નિવાસનો ઘેરાવ કરવામાં આવે તેવી શક્યતા છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળતા પહેલા રાહુલ ગાંધી આગામી એક સપ્તાહ એટલે કે 30 સપ્ટેમ્બર સુધીના કોંગ્રેસ પાર્ટીના સંપૂર્ણ કાર્યક્રમોનું વિવરણ અને તથ્યો કોર કમિટી પાસેથી પ્રાપ્ત કરશે.

(1:57 pm IST)