Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કાશ્મીરમાં આતંકી હુમલો : બારામૂલામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો : CRPFના બે જવાન શહીદ : એક નાગરિક ઘાયલ

આતંકવાદીઓએ ખાનપોરા બ્રિજ પર સીઆરએફ પાર્ટી પર હુમલો કર્યો

શ્રીનગર : કાશ્મીરમાં ફરીવાર આતંકીઓ હુમલો કર્યો છે, બારમુલામાં આતંકીઓના ગ્રેનેટ હુમલામાં સીઆરપીએફના બે જવાનો અને એક નાગરિક ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા જયારે હુમલાખોરોને ઝડપી લેવા અભિયાન શરુ કરાયું છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ખાનપોરા બ્રિજ પર સીઆરએફ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં બે જવાન અને એક નાગરિક ઘાયલ થયા હતા.

(6:44 pm IST)