Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કેરળમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો:દેશના કુલ કેસના અડધાથી વધુ કેસ કેરળમાં : દેશમાં નવા 44.667 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 42.107 દર્દીઓ રિકવર થયા : વધુ 549 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.23.244 થયો :એક્ટીવ કેસ 3.99.315 થયા : કુલ કેસની સંખ્યા 3.15.71.295 થઇ

સૌથી વધુ કેરળમાં 22.064 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7242 કેસ, આંધ્રપ્રદેશમાં 2107 કેસ,કર્ણાટકમાં 2052 કેસ,તામિલનાડુમાં 1859 કેસ, ઓરિસ્સામાં 1615 કેસ, આસામમાં 1299 કેસ, મણિપુરમાં 1000 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 44.667 કેસ નોંધાયા છે. જ્યારે 42,107 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 44.667 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 549 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.23.244 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 44.667 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.15.71.296 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.99.315 થઇ છે છેલ્લા 24 કલાકમાં 42.107 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.07.36.241 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 22.064 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7242 કેસ, આંધ્રપ્રદેશમાં 2107 કેસ,કર્ણાટકમાં 2052 કેસ,તામિલનાડુમાં 1859 કેસ, ઓરિસ્સામાં 1615 કેસ, આસામમાં 1299 કેસ, મણિપુરમાં 1000 કેસ નોંધાયા છે

(1:01 am IST)