Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

નિર્ણાયક ટી-20 મેચમાં ભારતનો કારમો પરાજય : શ્રીલંકાનો 2-1થી સિરીઝ પર કબ્જો:વનિન્દુ હસારંગાએ 4 વિકેટ ઝડપી

શ્રીલંકાન ટીમને જીત માટે 82 રનનો નજીવો લક્ષ્યાંક મળ્યો: શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી

કોલંબો : ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી સિરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જન્મદિવસ પર હસારંગાએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે.

આજની મેચમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 81 રન બનાવ્યા હતા. તે સાથે જ શ્રીલંકાન ટીમને જીત માટે 82 રનનો નજીવો લક્ષ્યાંક મળ્યો હતો. શ્રીલંકા તરફથી હસારંગાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી છે.

આજનો દિવસ વનિન્દુ હસરંગાના નામે રહ્યો. આજે વનિન્દુ હસરંગાનો જન્મ દિવસ છે અને આ તકે તેણે શાનદાર બોલિંગ કરી છે. હસરંગાએ પોતાની ચાર ઓવરમાં માત્ર 9 રન આપી ચાર વિકેટ ઝડપી છે. આ સાથે જ તે જન્મદિવસ પર સારુ બોલિંગ કરનારો બોલર બની ગયો છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના ઈમરાન તાહિરે પોતાના જન્મદિવસ પર 21 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.

(12:20 am IST)