Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સિંધિયાએ ગુજરાતને આપી મોટી ભેટ :હવે રોજ ભાવનગરથી દિલ્હી અને મુંબઈની મળશે ફ્લાઈટ

20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે

નવી દિલ્હી : ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના દરેક ખુણાને એર સર્વિસ સાથે કનેક્ટ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેના હેઠળ હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. નાગરિય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઈ માટે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનું સંચાલન થશે.

સિંધિયાએ ટ્વીટ કરતા જણાવ્યું કે નવી દિલ્હીથી ભાવનગર વચ્ચે 20 ઓગસ્ટથી પ્રથમ વખત દૈનિક ફ્લાઈટનપં સંચાલન શરૂ થશે.

તેની સાથે જ મુંબઈ-ભાવનગર વચ્ચે ફ્લાઈટ પણ 20 ઓગસ્ટથી શરૂ થશે. તેમણે જણાવ્યું કે તેનાથી સુનિશ્ચિત રીતે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરી સરળ તશે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે આ માર્ગ પર કઇ વિમાન કંપની ફ્લાઈટનું સંચાલન કરશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશના દરેક ખૂણાને એર સર્વિસ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છીએ. તેની સાથે એક અન્ય ટ્વીટમાં સિંધિયાએ જણાવ્યું કે મધ્ય પ્રદેશના જબલપુરથી દૈનિક આઠ નવી ફ્લાઈટ શરૂ થશે. આ નવી ફ્લાઈટ મુંબઈ-જબલપુર-મુંબઈ, દિલ્હી-જબલપુર-દિલ્હી, ઇન્દોર-જબલપુર-ઇન્દોર અને હૈદરાબાદ-જબલપુર-હૈદરાબાદની થશે.

(12:14 am IST)