Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

અમરસિંહ ભાજપમાં જોડાશે ?:કહ્યું હવે મારે સપા સાથે કાંઈ લેવાદેવા નથી :મારૂં જીવન હવે પીએમ મોદીને સમર્પિત છે

લખનૌ  : રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે કે રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહ ભાજપમાં જોડાશે જોકે હજુ વાતની પૃષ્ટિ મળી નથી વાસ્તવમાં અમરસિંહ ગઈ કાલે લખનૌમાં સીએમ યોગીઓ આદિત્યનાથના ગ્રાઉન્ડ બ્રેકીંગ સેરેમનીમાં પહોંચ્યા હતા દરમિયાન તેઓએ ભગવા રંગનો કુર્તો પહેર્યો હતો ત્યારે જે એવું મનાય રહ્યું હતું કે તેઓએ ભાજપમાં જઈ શકે છે અટકળોએ ટાયરે વધુ જોર પકડ્યું જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરસિંહને વિશેષ ગણના કરી

   કાર્યક્રમમાં પીએમ મોદીએ પોતાના ભાષણમાં અમરસિંહનો ઉલ્લેખ કર્યો તેઓએ હસતા હસતા કહ્યું કે અહીં અમરસિંહ બેઠા છે તો આખો ઇતિહાસ કાઢી આપશે ત્યારબાદ મુખ્યમંત્રી આવાસમાં થયેલ એક અન્ય કાર્યક્રમમાં અમરસિંહ નજરે પડ્યા હતા અમરસિંહે કહ્યું કે હવે મારે સપા સાથે કાંઈ લેવાદેવા નથી મારુ સમગ્ર જીવન પીએમ મોદીને સમર્પિત છે હવે હું ક્યાંય નહીં જાઉં

મીડિયા અહેવાલમાં કહેવાયું છે કે ભાજપ અમરસિંહનો ઉપયોગ યુપીમાં રોકાણ લાવવા માટે કરી રહી છે અત્રે ઉલેલ્ખનીય છે કે અમરસિંહ પહેલા પણ સીએમ યોગી સાથે મુલાકાત કરી ચુક્યા છે અમરસિંહ ખુદ જણાવી ચુક્યા છે કે તેઓને ભાજપમાં સામેલ થવામાં કોઈ પરેશાની નથી તેઓએ એમ પણ કહ્યું કે ના તો મને પાર્ટીમાં જોડાવવાનું આમંત્રણ મળ્યું છે ના તો તેઓએ સામેલ થવાની ઈચ્છા વ્યકત કરી છે

(8:33 pm IST)