Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

આ હુમલો ભાજપ પ્રેરિત હતો , ગુજરાતની હાલત બિહાર કરતાં પણ ખરાબ : ભાજપે હલકી રાજનીતિ કરી : ઈશુદાન ગઢવી અને મહેશભાઈ સવાણી ના આક્ષેપ

રાજકોટ તા.૩૦,આ હુમલો ભાજપ પ્રેરિત હતો , ગુજરાતની હાલત બિહાર કરતાં પણ ખરાબ છે. ભાજપે હલકી રાજનીતિ કરી  છે. ઈશુદાન ગઢવી અને મહેશભાઈ સવાણીએ આક્ષેપો કર્યા છે.

           આ હુમલો આમ આદમી પાર્ટી ઉપર નહીં પરંતુ ગુજરાતની જનતા ઉપર છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા છે જનતા તેનો જવાબ દેશે હજુ તો ચૂંટણી આવી નથી ત્યાં જ ભાજપ દ્વારા આવી હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે જે ગુજરાતના લોકો ચલાવી નહીં લે.

            હુમલાની ઘટના બાદ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આપના હોદ્દેદારો દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(9:18 pm IST)