Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પશ્ચિમ બંગાળમાં ખોટા રસીકરણ મામલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર પાસે ૨ દિવસમાં જવાબ રજુ કરવા આદેશઃ વેક્સીન લીધા બાદ સર્ટિફીકેટ ન મળતા હોવાના આક્ષેપો

ખોટા રસીકરણ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને પશ્ચિમ બંગાળ સરકારે 2 દિવસમાં રાજ્યમાં ખોટા રસીકરણના મામલે જવાબ માંગ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને  જે પણ લોકો આ ખોટા રસીકરણમાં સામેલ છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, જે પણ લોકો આ ખોટા રસીકરણમાં સામેલ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે લખી ચિટ્ઠી

વેક્સિન ફ્રોડને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિકૃષ્ણ દ્વિવેદીને ચિટ્ઠી લખી છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને ખોટા રસીકરણ પર જવાબ માંગ્યો છે. આ ચિટ્ઠીમાં તેમણે લખ્યું છે કે જરૂર પડે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. બંગાળ વિધાનસભાના નેતા એન ભાજપના ધારાસભ્ય શુવેંદુ અધિકારીને પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ ખોટા ટીકાકરણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ  ફરિયાદ કરી હતી.    

વેક્સિન લીધા બાદ નથી મળી રહ્યા સર્ટિફિકેટ

શુવેંદુ અધિકારીએ કોલકાતાના એક વિસ્તારને લઈ ફરિયાદ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ખોટી રીતે અને નકલી વેકસીનેશન કેમ્પ લગાડવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તે લોકોને કોવિન પ્લેટફોર્મ પરથી કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં નથી આવી રહ્યું. ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ  પશ્ચિમ બંગાળમાં કોવિડ19 રસીકરણમાં દર ઘટતો હોવાનો આરોપ બંગાળ સરકાર પર લગાવ્યો હતો. સાથે જ કહ્યું કે રાજ્યમાં નકલી ટીકાકરણ શિબિર પણ લગાડવામાં આવી રહી છે.

(5:02 pm IST)