Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જો બંધક સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો કિડનેપરને આજીવન કેદની સજા નહીં

ખંડણીના પૈસા વસુલવા જો બંધક સાથે ખરાબ વ્યવહાર ના કરવામાં આવે અને તેની દેખરેખ રાખવામાં આવે તો પછી કિડનેપરને આજીવન કેદની સજા ના ફટકારી શકાયઃ સુપ્રિમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ૩૬૪એનો લગતી મહત્વની વાત કહી. : જો બંધકને નુકસાન ના પહોંચાડ્યું હોય તો આજીવન કેદની સજા નહીં. : આઈપીસીમાં ૩૬૪એનો સમાવેશ ૧૯૯૩માં કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હી, તા.૩૦: સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જો કિડનેપર બાળકને ખંડણી માટે બંધક બનાવે પરંતુ તે દરમિયાન તેની કાળજી રાખે અને પૈસા પડાવવા માટે તેને મારવાની ધમકી ના આપે અને તેને કોઈ નુકસાન ના પહોંચાડે તો ઈન્ડિયન પીનલ કોડના સેકશન ૩૬૪એ હેઠળ તેને આજીવન કેદની સજા ના સંભળાવી શકાય.

કાયદા અને તેને લાગતા વળગતા ચુકાદાઓનું વિશ્લેષણ કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ જણાવ્યું કે, અમે તે નિરાકરણ પર આવ્યા છીએ કે સેકશન ૩૬૪એ હેઠળ દોષી સાબિત કરવા માટે નીચેની શરતો પૂરી થવી જોઈએ- ૧) કોઈ પણ વ્યકિતનું અપહરણ કરવું અથવા તેને ઉઠાવી જવી તેમજ ત્યારપછી તેને ડિટેન્શનમાં રાખવું. ૨) મારવાની ધમકી આપવી અથવા તે વ્યકિતને નુકસાન પહોંચાડવું ૩) સરકાર અથવા કોઈ ફોરેન સ્ટેટ અથવા સરકારી સંસ્થા અથવા કોઈ વ્યકિતને ખંડણીની રકમ માટે અથવા અન્ય કોઈ કાર્ય કરવા માટે ફરજ પાડવી અને સામે બંધક વ્યકિતને નુકસાન પહોંચાડવું.

જો વ્યકિત સેકશન ૩૬૪એ હેઠળ ગુનેગાર સાબિત થાય તો તેને આજીવન કેદ જેવી સખત સજા સંભળાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની પીઠે જણાવ્યું કે, પહેલી શરતની સાથે સાથે બીજી અથવા ત્રીજીમાંથી કોઈ એક શરત લાગુ થવી જરુરી છે. જો આ શરતો લાગુ નથી થતી તો પછી આરોપી વિરુદ્ઘ ૩૭૪એ અંતર્ગત કાર્યવાહી ના કરી શકાય. ઉલ્લેખનીય છે કે સેકશન ૩૬૪એનો સમાવેશ આઈપીસીમાં ૧૯૯૩માં કરવામાં આવ્યો હતો, તે સમયે ખંડણી માટે અપહરણના કેસ દ્યણાં વધી ગયા હતા અને ખાસ કરીને આતંકવાદી સંગઠનો દ્વારા બંધક બનાવવાના કેસ પણ વધી ગયા હતા.

(12:56 pm IST)