Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોનાની બીજી લહેરમાં 800 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા : ઈન્ડિયન મેડિકલ એસો ,

સૌથી વધુ દિલ્હીમાં 128, બિહારમાં 115, અને યુપીમાં 79 ડોકટરોનો કોરોનાએ ભોગ લીધો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેર દરમિયાન આ રોગનો ચેપ લાગવાથી આશરે 800 ડોક્ટરોના જાન ગુમાયા છે, એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાસેથી ઉપલબ્ધ થયેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે.

સૌથી વધારેર દિલ્હીમાં 128 મૃત્યુ પામ્યા છે . ત્યારબાદ બિહારમાં 115, ઉત્તર પ્રદેશમાં 79 ડોક્ટરોના જાન ગયા છે. મૃતક ડોક્ટરોમાં આઠ ગર્ભવતી ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. કોરોના રોગચાળાની પહેલી લહેરે ભારતમાં 748 ડોક્ટરોનો ભોગ લીધો હતો, એમ IMA તરફથી જણાવવામાં આવ્યું છે.

(10:01 am IST)