Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બોલીવુડ અભિનેતા અને કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહા ભાજપમાં કરશે ઘરવાપસી ? શોટગને આપ્યો જવાબ

નવી દિલ્હી : બોલીવુડ અભિનેતા અને કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહાએ તાજેતરમાં પીએમ મોદીનાં સમર્થનમાં કરેલી ટ્વીટથી એવું માનવામાં આવતું હતું કે ફરીથી તેમની બિજેપીમાં ઘરવાપસી થશે, જો કે તેમણે આ તમામ અટકળો ફગાવી દીધી છે. તેમણે આ ટિપ્પણીને વ્યંગ્ય ગણાવી હતી અને કહ્યું કે તેમની પાર્ટી બદલવાની કોઇ ઇચ્છા નથી.

શત્રુઘ્નએ રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે 'દુનિયામાં ચાર પ્રકારનાં દુ:ખી લોકો હોય છે. પોતાના દુ:ખથી દુ:ખી, બીજાનાં દુ:ખથી દુ:ખી, બીજાની ખુશીથી દુ:ખી અને કારણ વગર અવારનવાર મોદીથી થતા દુ:ખી.

તેમણે કહ્યું કે આ મનોરંજન માટે રવિવારનાં આ વ્યંગ્ય તરીકે આ કહ્યું હતું. મનોરંજન માટે હું દર રવિવારે કંઈક ટ્વીટ કરૂં છું અને તેમની પાસેથી આવો કોઈ રાજકીય અર્થ ન લેવો જોઈએ. અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે મને કોંગ્રેસ છોડીને બિજેપીમાં જોડાવાની કોઈ લાગણી કે ઇચ્છા નથી.

(12:10 am IST)